વાસુ ફાઉન્ડેશને ‘વાસુ ધર’ ટીમના સભ્યોને તેમની સફળ કામગીરી બદલ સન્માનિત કર્યા.

મિશન 10,008' પર એક નજર :
– કૈમ્પેન દરમિયાન વાવવામાં આવેલા કુલ વૃક્ષો : 10,008
– કૈમ્પેનનો સમયગાળો : જૂન 2025 – જૂન 2026
– આ પહેલ હેઠળ આવરી લેવામાં આવેલા સ્થળો : શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, વૃદ્ધાશ્રમ, પોલીસ
સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જીઆઈડીસી મકરપુરા અને સાવલી, વિવિધ રહેણાંક સોસાયટીઓ તેમજ સામુદાયિક
જગ્યાઓ
– વાવવામાં આવેલા વિવિધ વૃક્ષો : લીમડો, ગુલમહોર, ચંપા અને આસોપાલવ
– અભિયાન સાથે સંકળાયેલો સમુદાય : વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, ઔદ્યોગિક કામદારો, સંરક્ષણ કર્મચારીઓ,
નાગરિક અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ

વડોદરા, 4 જૂન, 2026: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના રોજ શરૂ થયેલું એક મહત્વાકાંક્ષી સંકલ્પ આજે શાળાઓ,
વૃદ્ધાશ્રમો, પોલીસ સ્ટેશનો, ઔદ્યોગિક વિસ્તારો, રહેણાંક સમાજો અને એરફોર્સ સ્ટેશન સુધી વિસ્તરેલી લોકભાગીદારી
આધારિત પર્યાવરણીય ચળવળમાં પરિવર્તિત થયું છે.
વાસુ હેલ્થકેરની CSR પહેલ વાસુ ફાઉન્ડેશને સફળતાપૂર્વક ‘મિશન 10,008’ પૂર્ણ કર્યું છે. એક વર્ષ સુધી ચાલેલા આ
વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કુલ 10,008 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ
માત્ર વૃક્ષારોપણ અભિયાન નહોતું, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સામાજિક સહભાગિતાને પ્રોત્સાહન
આપવાનો પ્રયાસ હતો, જેમાં સમાજના વિવિધ વર્ગોના લોકો એક હરિયાળા અને સ્વસ્થ ભવિષ્યના સંકલ્પ સાથે જોડાયા
હતા.
5 જૂન, 2025ના રોજ શરૂ થયેલું ‘મિશન 10,008’ એક સરળ પરંતુ મજબૂત માન્યતા પર આધારિત હતું કે પર્યાવરણમાં
ટકાઉ પરિવર્તન ત્યારે જ શક્ય બને જ્યારે સમાજ પોતે સંરક્ષણના પ્રયાસોમાં સક્રિય ભાગીદાર બને. એક વર્ષ દરમિયાન
આ અભિયાનમાં શૈક્ષણિક સંસ્થાઓ, વરિષ્ઠ નાગરિકો, ઔદ્યોગિક કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, રક્ષા ક્ષેત્રના
કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ હરિયાળા ભવિષ્ય માટે મળીને યોગદાન આપ્યું.
આ અભિયાન *‘ગ્રીન વડોદરા, ક્લીન વડોદરા’*ના વિઝન હેઠળ હાથ ધરાયું હતું અને તેમાં ‘મિશન 10,008 માટે
પ્રતિબદ્ધ, આવનારી પેઢીઓ માટે હરિયાળું આવતીકાલ સર્જીએ’ એવો સંદેશ આપવામાં આવ્યો હતો.

અભિયાન અંતર્ગત શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો, મકરપુરા GIDC અને સાવલીના ઔદ્યોગિક વિસ્તારો,
પોલીસ સ્ટેશનો, રહેણાંક સોસાયટીઓ, ભારતીય વાયુસેના સ્ટેશન તથા અન્ય જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
હતું.
આ પહેલમાં પર્યાવરણ માટે લાભદાયી અને સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ એવા લીમડો, ગુલમહોર, ચંપો અને
આસોપાલવ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેનાથી શહેરી હરિયાળી, હવાની ગુણવત્તા અને જૈવ વૈવિધ્યમાં વધારો
થાય છે.


‘મિશન 10,008’ની સફળ પૂર્ણાહુતિ વાસુ ફાઉન્ડેશનની વિશાળ પર્યાવરણીય પ્રતિબદ્ધતાનું પ્રથમ સોપાન છે. ફાઉન્ડેશને
આગામી 10 વર્ષમાં 1,08,000 વૃક્ષો વાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો સંકલ્પ લીધો છે. વાવેલા વૃક્ષોના લાંબા
ગાળાના જતન, વિકાસ અને સંરક્ષણને સુનિશ્ચિત કરવા માટે ફાઉન્ડેશને તેની ‘વાસુ ધર’ પહેલ હેઠળ 25 સમર્પિત
સભ્યોની ટીમ નિમણૂક કરી છે, જે વૃક્ષોની સંભાળ અને ઉછેરની જવાબદારી સંભાળે છે. તેમના અમૂલ્ય યોગદાનની
કદરરૂપે દરેક ટીમ સભ્યને ચાંદીનો સિક્કો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે વાસુ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું: “મિશન 10,008 માત્ર કોઈ આંકડાકીય લક્ષ્ય
હાંસલ કરવાનો પ્રયાસ નહોતો. તેનો હેતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની સંસ્કૃતિ વિકસાવવાનો હતો. વાવવામાં
આવેલ દરેક વૃક્ષ એ એવા વ્યક્તિઓ, સંસ્થાઓ અને સ્થાનિક હિતધારકોની ભાગીદારીનું પ્રતીક છે, જેમણે ટકાઉ વિકાસ
તરફના એક મોટા આંદોલનનો ભાગ બનવાનું પસંદ કર્યું. આ મિશનની પૂર્ણતા અમારી સફરનો અંત નથી, પરંતુ પર્યાવરણ
સંરક્ષણ પ્રત્યેની વધુ વ્યાપક પ્રતિબદ્ધતાની શરૂઆત છે.”
શ્રી ઉકાણીએ આ અભિયાનને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ ભાગીદાર સંસ્થાઓ, સ્વયંસેવકો,
કર્મચારીઓ, સ્થાનિક સત્તાધિકારીઓ અને નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
‘મિશન 10,008’ની સફળતા બાદ હવે વાસુ ફાઉન્ડેશન કચરા વ્યવસ્થાપન, ટકાઉ જીવનશૈલી અંગે જાગૃતિ અને
સમુદાયની ભાગીદારી જેવા ક્ષેત્રોમાં વધુ વ્યાપક પર્યાવરણીય પહેલો હાથ ધરવા માટે કાર્યરત છે, જેથી લાંબા ગાળે
સામાજિક અને પર્યાવરણીય પ્રભાવ સર્જી શકાય.

વાસુ હેલ્થકેર વિશે માહિતી :
ગુજરાતના વડોદરામાં મુખ્ય મથક ધરાવતી, વાસુ હેલ્થકેર કંપની, ચાર દાયકાથી વધુની કુશળતા ધરાવતી એક અગ્રણી
આયુર્વેદિક અને હર્બલ હેલ્થકેર કંપની છે. વૈજ્ઞાનિક રીતે માન્ય આયુર્વેદિક ઉકેલો અને જવાબદાર કોર્પોરેટ નાગરિકતા દ્વારા,
આ કંપની ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં હેલ્થ, વેલનેસ અને સસ્ટેનિબિલ વિકાસને પ્રોત્સાહન આપવાનું સતત જારી
રાખે છે. વાસુ હેલ્થકેરની સ્થાપના વર્ષ 1980 માં થઈ હતી. તે ભારતની અગ્રણી આયુર્વેદિક અને હર્બલ હેલ્થકેર
કંપનીઓમાંની એક છે અને આયુર્વેદ પ્રિસ્ક્રિપ્શન માર્કેટમાં અગ્રણી ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. કંપની આયુર્વેદિક
ફોર્મ્યુલેશન, હર્બલ કોસ્મેટિક્સ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સની વિશાળ શ્રેણીનું ઉત્પાદન અને
માર્કેટિંગ કરે છે.

વાસુ હેલ્થકેર કંપની 200+ વિશિષ્ટ ઉત્પાદનોના પોર્ટફોલિયો અને 50 થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે તેમજ ક્વોલિટી અને
ઈનોવેશન પ્રત્યે પ્રતિબદ્ધ રહીને તેની વૈશ્વિક ફૂટપ્રિંટને વિસ્તૃત કરી રહી છે. કંપની વડોદરામાં વિશ્વસ્તરીય ઉત્પાદન
સુવિધાઓ ધરાવે છે, જેમાં હાલમાં જ શરૂ કરવામાં આવેલી WHO-માનક આયુર્વેદિક ઉત્પાદન સુવિધાનો સમાવેશ થાય છે,
જે 2,00,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે.

Follow on Google New